એક પરિવાર છે .. આ પરિવારના
લોકો વરચે બહુ ઓછા મતભેદ થાય છે આ પરિવારના એક વડીલને કારણ પૂછ્યું . તેણે સરસ વાત કરી . એ
વડીલે કહ્યું કે , અમારા પરિવારમાં દરેક વ્યકિતને બે વાત શીખવવામાં આવે છે . એક , નાના હોય તેને પ્રેમ કરવો
. બે , મોટા હોય તેનો આદર કરવો . ઘરની દરેક વ્યકિત આ વાત સારી રીતે સમજે છે અને એ રીતે
જ વર્તન કરે છે . આ બે નિયમથી બધા લોકોની અપેક્ષા સંતોષાઈ જાય છે . એ વડીલે કહ્યું કે ઘર
હોય કે કામ , જો દરેક વ્યકિતનો રોલ ડિફાઇન હોય તો પછી વાંધો ન આવે . મારે શું કરવાનું છે ? મારી
કેટલી જવાબદારી છે ? એટલું જો માણસ સમજી જાય તો તેને વધુ મુશ્કેલી પડતી નથી . તકલીફો ત્યારે જ
ઊભી થાય છે જયારે માણસ બીજાના કામમાં ચંચુપાત કરે છે . આપણે મોટા ભાગે બીજાના કામ ઉપર નજર રાખીએ
છીએ . ઐણે આ ખોટું કર્યું . આવું કરીને એણે યોગ્ય નથી કર્યું . બહુ ઓછા લોકો પોતાના કામ ઉપર નજર
રાખે છે . મેં કર્યું એ બરોબર છે ? હું જે કરું છું એ મને શોભે છે ? આ જવાબો જો માણસ
મેળવી શકે તો ઘણા બધા સવાલો હલ થઈ જાય . આપણે બીજાનો ચોકી પહેરો કરીએ છીએ અને આપણી જાતને
રેઢી મૂકી દઈએ છીએ . કોઈ કામ નાનું નથી . કોઈ કામ મોટું નથી . સમજવા જેવી વાત એક જ છે કે
દરેક કામ મહાન છે . દરેક કામનું મહત્ત્વ છે અને દરેક કામ જરૂરી છે .. એક બોલ્ટ નીકળી જાય તો આખું મશીન
તૂટી પડે . બોલ્ટ દેખાવમાં ભલે સાવ નાનો રહ્યો પણ તેનું કામ બે વસ્તુને જોડી રાખવાનું છે .. આપણે
એ બોલ્ટની એટલે કે નાના વ્યકિતની કદર કરીએ છીએ ? તમારી ઓફિસમાં કે દુકાનમાં જે વ્યકિત નાનાં મોટાં કામ કરે
છે એ ન હોય તો શું થાય તેનો તમે કોઈ દિવસ વિચાર કર્યોછે ? ઘર હોય , નોકરી - ધંધો હોય કે
સમાજ હોય , બે વાત યાદ રાખવી જોઈએ . એક તો દરેકના કામનો આદર કરો અને બીજું દરેકને પોતાનું કામ
કરવા દો . સાથો સાથ તમે એ જ કરો જે તમારે કરવાનું છે .. અમદાવાદના ભરતકુમાર ભગતે પોતાના જીવનની એક વાત
સરસ રીતે લખીને ઇ - મેલથી મોકલી છે . આજથી ૧૪ વર્ષ પહેલાની વાત છે . ભરતભાઈનો પુત્ર રાજિત બીમાર પડયો . ડોકટરે
નિદાન કર્યું કે રાજિતને મેનેન્જાઇટિસ છે . બીમારીના કારણે રાજિતની આંખો નબળી પડી ગઈ હતી . એવો ડર હતો કે કદાચ
રાજિતની આંખો કાયમ માટે ચાલી જશે . ભરતભાઈ અને તેમનાં પત્ની જાગૃતિબહેન સતત ચિંતામાં રહેતાં હતાં . રાજિતને બતાવવા ભરતભાઈ દવાખાને
ગયા . ખાનગી દવાખાનાના વેઇટિંગ લોન્જમાં બેસી ભરતભાઈ પોતાનો વારો આવવાની રાહ જોતા હતા . એવામાં એક અપંગ અને અણસમજુ દેખાતો
બાળક દવાખાનામાં ઘૂસ્યો . તેના હાથમાં અગરબત્તીનાં પેકેટ્સ હતાં . તે બધાને પૂછવા લાગ્યો કે અગરબત્તી લેવી છે ? બાળકને જોઈને રિસેપ્શન
કાઉન્ટર ઉપર બેઠેલા માણસે રાડ પાડી . તું પાછો આવી ગયો ? ચાલ બહાર નીકળ . તને ના પાડી છે તો પણ
ચાલ્યો આવે છે . બહુ ખરાબ રીતે તેણે બાળકને તતડાવ્યો . ભરતભાઈએ એ બાળકને પૂછ્યું , તને આટલી ખરાબ રીતે ખખડાવે છે
તો પણ તું શા માટે અહીં આવે છે ? અણસમજુ દેખાતા એ બાળકે મોટી વાત કરી દીધી . બાળકે કહ્યું
કે , હું મારું કામ કરું છું અને એ તેનું કામ કરે છે . મારું કામ છે અગરબત્તી વેચવાનું , એટલે હું
અગરબત્તી વેચું છું . તેનું કામ છે મને કાઢી મૂકવાનું એટલે એ મને કાઢી મૂકે છે .. બાળકે વાત આગળ વધારી
. તેણે કહ્યું કે હું અપંગ છું . ગઈકાલે મારે ઘરે જવામાં મોડું થયું . ઘરે પહોંરયો ત્યારે મારી મા રડતી હતી .
મેં તેને પૂછ્યું તો કહ્યું કે , તારી ચિંતા થતી હતી . તને કંઈ થઈ જાય તો ? બાળકે તેની માને
કહ્યું કે એ કામ તારું નથી . તું ઘરનું ઘ્યાન રાખે છે , બધા માટે જમવાનું બનાવે છે . તારા બદલે
હું જમવાનું બનાવું તો તને ગમે ? ના ગમે ને ? મારી ચિંતા કરવાનું કામ ભગવાનનું છે . ભગવાનનું કામ ભગવાનને કરવા
દે ને . ભગવાનના કામમાં દખલ કરીશ તો ભગવાનને પણ નહીં ગમે ! ભરતભાઈ કહે છે કે એ બાળક તો આટલી
વાત કરીને ચાલ્યો ગયો પણ મને આખી જિંદગી કામ લાગે એવો પાઠ શીખવાડી ગયો . હું સાવ હળવો થઈ ગયો . મને
વિચાર આવ્યો કે હું દીકરાની ચિંતા ખોટી કરું છું .. એ મારું કામ નથી . મારું કામ તો છે તેને
બેસ્ટ ટ્રીટમેન્ટ અપવવાનું , તેનું જતન કરવાનું અને તેને પોતાના દર્દમાં રાહત થાય તેવા પ્રયત્ન કરવાનું . હું મારું કામ
કરું અને બીજું કામ જેનું છે એના ઉપર છોડી દઉ . ભગવાને તેનું કામ કર્યું . ભરતભાઈ અને જાગૃતિબહેન કહે છે
કે એ બાળકની વાત અમને જીવનનાં ડગલે અને પગલે કામ લાગી છે . કર્મના સિદ્ધાંતમાં એક વાત અદૃશ્ય રીતે પણ
કહેવામાં આવી છે . કર્મ કરશો એટલે ફળ તો મળવાનું જ છે . સનાતન સત્ય એ છે કે સારું કામ
કરશો તો સારું ફળ મળશે અને ખરાબ કામ કરશો તો ખરાબ ફળ પણ મળવાનું જ છે . તમારા કામને ઓળખો .
તમારા કામને એન્જોય કરો . બસ એટલું તપાસતા રહો કે મારે જે રોલ ભજવવાનો છે એ હું સરખી રીતે ભજવું છું
કે નહીં ? છેલ્લો સીન ઇશ્વરે તમને જેવા બનાવ્યા હોય એ કરતાં સહેજ પણ ઊતરતા ન
બનવું , એમાં જ તમારું ગૌરવ છે . Thanks & Regards,